સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ જીલ્લા કોંગ્રેસના મહામંત્રી તેમજ જીલ્લા પંચાયત સવલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રબારીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા પાટડી તાલુકામાં કોંગ્રેસને મોટું નુકશાન થયુ છે. આ ઉપરાંત પાટડી તાલુકા પંચાયતના કોંગ્રેસના ૦૨ ઉમેદવારો તથા પાટડી નગરપાલિકાના કોંગ્રેસના ૦૮ સદસ્યોએ પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા છે. આ મહત્વપૂર્ણ જોડાણથી પાટડી તાલુકામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસને છોડનાર આગેવાનોના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા રહી લોક પ્રશ્નો માટે સંઘર્ષ કરતા હતા પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા અંતે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમજ કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે જૂના અને અનુભવી આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે આવનારા સમયમાં કોંગ્રેસને વધુ મોટું નુકશાન પહોંચે તેમ લાગી રહ્યું છે. જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિતના આગેવાનો દ્વારા ભાજપનો ખેસ પહેરાવી તમામ નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…