Surendranagar

સુરેન્દ્રનગર LCB પોલીસે 02 શખ્સોને ચોરીના રૂ.31.30 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરની અંબિકા પાર્ક સોસાયટી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સોનાના દાગીના બનાવનાર વ્યક્તિના મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો દ્વારા રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. જે બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ LCB પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવા જવાના છે જેના આધારે પોલીસે દુધરેજ કેનાલ નજીક વોચ ગોઠવી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૩૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં આશરે ૧૧ જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા હાલ વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી રહી છે અને અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ (૧) રવિ હકાભાઈ પાટડિયા (રહે. મફતિયાપરા, સુરેન્દ્રનગર) અને સતિષ ઉર્ફે ભોલો ઉર્ફે ભૂરો બટુકભાઈ વ્યાસ (રહે. ફિરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર) વાળા હોવાનું બહાર આવ્યુ હતું. આ સમગ્ર કામગીરીમાં જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઈ એન.એ. રાયમા સહિત સ્ટાફના અજ્યવીરસિંહ, પ્રવિણભાઈ, દેવરાજભાઈ, અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈ, ચંદ્રવિજ્યસિંહ, મેહુલભાઈ, વજાભાઈ, ગિરિરાજસિંહ, યુવરાજસિંહ સહિતનાઓ જોડાયા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

1 week ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 weeks ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

1 month ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

1 month ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

2 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

2 months ago