Surendranagar

સુરેન્દ્રનગર LCB પોલીસે 02 શખ્સોને ચોરીના રૂ.31.30 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરની અંબિકા પાર્ક સોસાયટી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સોનાના દાગીના બનાવનાર વ્યક્તિના મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો દ્વારા રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. જે બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ LCB પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવા જવાના છે જેના આધારે પોલીસે દુધરેજ કેનાલ નજીક વોચ ગોઠવી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૩૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં આશરે ૧૧ જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા હાલ વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી રહી છે અને અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ (૧) રવિ હકાભાઈ પાટડિયા (રહે. મફતિયાપરા, સુરેન્દ્રનગર) અને સતિષ ઉર્ફે ભોલો ઉર્ફે ભૂરો બટુકભાઈ વ્યાસ (રહે. ફિરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર) વાળા હોવાનું બહાર આવ્યુ હતું. આ સમગ્ર કામગીરીમાં જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઈ એન.એ. રાયમા સહિત સ્ટાફના અજ્યવીરસિંહ, પ્રવિણભાઈ, દેવરાજભાઈ, અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈ, ચંદ્રવિજ્યસિંહ, મેહુલભાઈ, વજાભાઈ, ગિરિરાજસિંહ, યુવરાજસિંહ સહિતનાઓ જોડાયા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે બે શખ્સો પાસે ગીરવે મુકેલા ૩૫ તોલા સોનાના દાગીના…

3 days ago

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલાના ખેરાણા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલા તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ સહિતનો મુદામાલ…

4 days ago

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત : વિપક્ષોના સુપડા સાફ…

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી લઈને જીલ્લા પંચાયત, તાલુકા…

6 days ago

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૦ થી વધુ સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મત ગણતરી યોજાશે

સુરેન્દ્રનગર જીલ્લામાં ગત તા.૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા…

1 week ago

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે જેપર ગામમાં આજે પુન:મતદાન યોજાશે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક મતદાન મથક પર ટેકનિકલ…

1 week ago

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા અસામાજીક પ્રવૃતિ કરતા ૦૮ શખ્સોને તડીપાર કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન…

1 week ago