Surendranagar

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે બે શખ્સો પાસે ગીરવે મુકેલા ૩૫ તોલા સોનાના દાગીના સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુએ માત્ર ૦૬ કલાકમાં પરત અપાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ અનિલભાઈ પરમારે જાલાભાઈ બાંભા અને હિતેશભાઈ ખરગિયા નામના બે શખ્સો પાસે ૩૫ તોલા સોનાના દાગીના ગીરવે મૂકી રોકડ રકમ ઉછીની લીધી હતી. બાદમાં અરજદારે લીધેલી રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં બંને શખ્સો વધુ રકમની માંગણી કરતા હતા. આથી આ અંગે અરજદારે સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુને રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને એસ.પી.એ તાત્કાલિક એ-ડિવિઝન પોલીસને સૂચના આપી બંને શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ કાર્યવાહી બાદ બંને શખ્સો પાસેથી અંદાજે રૂ.૫૧ લાખની કિંમતના ગીરવે મુકાયેલા સોનાના દાગીના પરત મેળવવામાં આવ્યા હતા, જે એસ.પી. પ્રેમસુખ ડેલુએ અરજદારને પરત સોંપ્યા હતા. આ પ્રસંગે એસ.પી. પ્રેમસુખ ડેલુએ વ્યાજખોરો, અસમાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કોઈપણ પ્રકારના ડર વગર આગળ આવી રજુઆત અને ફરિયાદ કરવા અપીલ પણ કરી હતી.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

1 week ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 weeks ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

1 month ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

1 month ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

2 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

2 months ago