વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે આગામી તા.૨૦ એપ્રિલને સોમવારના રોજ દર વર્ષની પરંપરા મુજબ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રચના કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી, સવારે ૭:૦૦ કલાકે અભિષેક, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, શ્રીંગાર ઝાંખી જેવા આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામાશ્રયદાસજી બાપુ સહિત સેવક ગણ દ્વારા ભારે તત્પરતા સાથે તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે મંદિર તરફથી તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં હાજરી આપી ધર્મલાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં…
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…
“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…