વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે આગામી તા.૨૦ એપ્રિલને સોમવારના રોજ દર વર્ષની પરંપરા મુજબ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રચના કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી, સવારે ૭:૦૦ કલાકે અભિષેક, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, શ્રીંગાર ઝાંખી જેવા આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામાશ્રયદાસજી બાપુ સહિત સેવક ગણ દ્વારા ભારે તત્પરતા સાથે તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે મંદિર તરફથી તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં હાજરી આપી ધર્મલાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ…
સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત…
સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા…
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની…