Wadhwan

વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે તા.૨૦ એપ્રિલના રોજ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવ યોજાશે.

વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે આગામી તા.૨૦ એપ્રિલને સોમવારના રોજ દર વર્ષની પરંપરા મુજબ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રચના કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી, સવારે ૭:૦૦ કલાકે અભિષેક, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, શ્રીંગાર ઝાંખી જેવા આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામાશ્રયદાસજી બાપુ સહિત સેવક ગણ દ્વારા ભારે તત્પરતા સાથે તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે મંદિર તરફથી તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં હાજરી આપી ધર્મલાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

4 days ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

1 month ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago