વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે આગામી તા.૨૦ એપ્રિલને સોમવારના રોજ દર વર્ષની પરંપરા મુજબ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રચના કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી, સવારે ૭:૦૦ કલાકે અભિષેક, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, શ્રીંગાર ઝાંખી જેવા આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામાશ્રયદાસજી બાપુ સહિત સેવક ગણ દ્વારા ભારે તત્પરતા સાથે તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે મંદિર તરફથી તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં હાજરી આપી ધર્મલાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…