Surendranagar

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા પિતા અને પુત્ર એવા બન્ને પૂર્વ સભ્યોને ટિકિટ આપવામાં નહીં આવતા અસંતોષ ફાટી નીકળ્યો હતો. પરિણામે બન્નેએ બળવો કરી અલગ અલગ વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર ૦૩ના અપક્ષ ઉમેદવાર જામાભાઈ મોતીભાઈ ગરીયા તેમજ વોર્ડ નંબર ૦૪ના અપક્ષ ઉમેદવાર હરેશ જામાભાઈ ગરીયાના સંયુક્ત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહેતા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને મળતા સમર્થનને લઈ ચર્ચાઓ તેજ બની છે. જ્યારે બંને ઉમેદવારોએ અગાઉ લોકો વચ્ચે રહી કરેલા વિકાસ કાર્યો અને ઝડપી સમસ્યા નિરાકરણને આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો દાવો કર્યો હતો. મતદારો તરફથી મળતા પ્રતિસાદને ધ્યાનમાં રાખતા વોર્ડ નંબર ૦૩ અને ૦૪માં અપક્ષ ઉમેદવારો મજબૂત પડકાર ઊભો કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

4 days ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

1 month ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago