Dhrangadhra

સુરેન્દ્રનગર SOG પોલીસે ધ્રાંગધ્રા શહેરના રહેણાંક મકાનમાંથી સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી સુકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના ખાટકીવાસ વિસ્તારમાં આવેલા મકાનમાંથી પોલીસે ૧.૮૪ કિલો સુકો ગાંજો કિંમત રૂ. ૫૪,૨૦૦ તથા ૦૨ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૬૪,૨૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે લીંબડી ખાતે રહેતા હર્ષદભાઈ કિશોરભાઈએ વેચાણ માટે આ સુકો ગાંજો પૂરું પાડ્યો હતો. આ મામલે પોલીસે ઝડપાયેલ યાસીન ઉર્ફે માથો ઈકબાલભાઈ બાબી વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં SOG પીઆઈ બી.એચ. શીંગરખીયા, પીએસઆઈ એન.એ.રાયમા સહિત સ્ટાફના અનિરુદ્ધસિંહ, અશ્વિનભાઈ, અરવિંદસિંહ, અમરકુમાર, કુલદીપસિંહ, સાહીલભાઈ, બલભદ્રસિંહ, જગમાલભાઈ સહિતનાઓ જોડાયા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 days ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

4 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago