Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૦ થી વધુ સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મત ગણતરી યોજાશે

સુરેન્દ્રનગર જીલ્લામાં ગત તા.૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ આજે તા.૨૮ એપ્રિલના રોજ સવારના ૦૯.૦૦ વાગ્યા થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અલગ અલગ ૩૦ થી વધુ સ્થળો પર મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગત તા.૨૬ એપ્રિલના રોજ થયેલ મતદાન પર નજર કરીએ તો સતાવાર રીતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ફુલ ૫૪.૬૭%, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની ફૂલ ૩૨ બેઠક માટે ૬૩.૭૬%, ૧૦- તાલુકા પંચાયત માટે ૬૪.૨૬% અને ૦૫-નગરપાલિકા માટે ૬૩.૦૧% મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફૂલ ૩૭૭ બેઠકોમાંથી ૩૮ બેઠકો બિનહરીફ બની હતી અને બાકીની ૩૩૯ બેઠકો માટે ફૂલ ૧૧,૬૦,૫૩૫ મતદારો નોંધાયા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત ફૂલ ૯૩૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સિલ થયા હતા. ચુડા તાલુકાના જેપર મતદાન મથક સિવાય જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ત્યારે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે શહેરની એમ.પી.શાહ આર્ટસ કોલેજ ખાતે તેમજ વઢવાણ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો માટે ૬૦ ફૂટ રોડ પર આવેલ મહિલા આઈટીઆઈ ખાતે અને જે તે તાલુકા મથકો ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સવાર થી મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થતા હાર અને જીતનું ચિત્ર સ્પષ્ટ થશે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

4 days ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago