Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત : વિપક્ષોના સુપડા સાફ…

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી લઈને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય જીત મેળવી કોંગ્રેસને મોટાભાગે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકોમાંથી ભાજપે ૫૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર ૦૧ બેઠક મળી હતી. જીલ્લા પંચાયતની કુલ ૩૨ બેઠકોમાંથી ભાજપે ૩૦ બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસને ૦૧ બેઠક પર જીત મળી હતી. જીલ્લાની ૧૦ તાલુકા પંચાયતની કુલ ૧૮૦ બેઠકોમાંથી ભાજપે ૧૪૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસને ૨૫ બેઠકો, આમ આદમી પાર્ટીને ૦૭ બેઠકો તથા અન્ય ઉમેદવારોને ૦૬ બેઠકો મળી હતી. તે જ રીતે ૦૪ નગરપાલિકાની કુલ ૧૧૨ બેઠકોમાંથી ભાજપે ૧૦૩ બેઠકો પર જીત નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસને ૦૯ બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. થાન નગરપાલિકાની ૦૧ બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ચૂંટણી પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારો દ્વારા પોતાના વિસ્તારોમાં ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા. આ સરઘસમાં મોટી સંખ્યામાં મતદારો, સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા. ચોટીલાના વતની અને પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત તમામ ધારાસભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મળેલી ભવ્ય જીત બદલ તમામ વિજેતા ઉમેદવારો અને મતદારોને અભિનંદન પાઠવ્યા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

6 days ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago