Chuda

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે જેપર ગામમાં આજે પુન:મતદાન યોજાશે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક મતદાન મથક પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેમાં (૨-ચુડા-૧) સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત મતદાર વિભાગ અને (૬-ચુડા-૧) તાલુકા પંચાયત મતદાર વિભાગ હેઠળ આવતા જેપર ગામના મતદાન મથક નં. ૪/૫ (નવી પ્રાથમિક શાળા, રૂમ નં. ૧, નવી પંચાયત, જેપર) ખાતે EVMના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU)માં ટેકનીકલ ખામી ઉભી થતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ થતા મતદાન થઈ શક્યું નહોતું. આથી ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ મતદાન મથક પર પુનઃમતદાન યોજવા માટેની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પરિસ્થિતિને ધ્યાને લઈને માંગ ગ્રાહ્ય રાખીને જેપર ગામના આ મતદાન મથક પર પુનઃમતદાન માટેની મંજૂરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજે તા.૨૭ એપ્રિલને સોમવારના રોજ જેપર મતદાન મથક (નવી પ્રાથમિક શાળા, રૂમ નં. ૧) ખાતે ફરી મતદાન યોજાશે. જે પુન:મતદાનનો સમય સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. આથી આ વિસ્તારના તમામ મતદારો અને જાહેર જનતાને આ ફેરફારની ખાસ નોંધ લેવા અને નિયત સમયે મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

4 days ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago